રાજકોટ શહેરની રંગીલી પ્રજા ગરબા વગર રહી શકે તેમ નથી, આયોજકો દ્વારા બુદ્ધિ ચાતુર્ય પૂર્વક ગરબાના આયોજનો કરવામાં આવનાર 

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૭.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની રંગીલી પ્રજા ગરબા વગર રહી શકે તેમ નથી. માટે આયોજકો દ્વારા બુદ્ધિ ચાતુર્ય પૂર્વક ગરબાના આયોજનો કરવામાં આવનાર છે. જો કે આ અંગે હજુ આયોજકોએ કોઈ ફોડ પાડી નથી. તેઓએ રાજકોટની પ્રજા જોગ એવું જણાવ્યું છે કે ગરબા તો યોજવાના જ છે. કોરોનાની મહામારી કાઈ રાજકોટની પ્રજાને ગરબે ઘૂમતા થોડી રોકી શકે. માટે ગરબા તો ધામધૂમથી યોજવાના જ છે. બસ રાજકોટવાસી ઓએ થોડા સમય રાહ જોવી પડશે. ટૂંક સમયમાં જ રાજકોટવાસીઓ માટે યોજાનાર ગરબાની સંપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવશે. જેમાં જણાવવામાં આવશે કે કેવી રીતે ગરબા યોજવામાં આવશે

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ.

Related posts

Leave a Comment